અમૃત ભારત યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના 6 રેલવે મથકોનો પૂનર્વિકાસ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ 17 મથકોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. જેમાં છ મથકોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સિહોર‚ પાલીતાણા‚ રાજુલા‚ મહુવા‚ લીંબડી અને જામ જોધપુરનો સમાવેશ થાય છે.
દરમિયાન અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પૂનર્વિકસિત થયેલા રાજકોટ ડિવિઝનના 6 મથકોનું પણ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથળી, હાપા અને મોરબીનો સમાવેશ થાય છે.