ઓક્ટોબર 14, 2025 3:31 પી એમ(PM)

printer

ભાવનગરમાં હાઉસિંગ બૉર્ડનું ત્રણ માળનું મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત

ભાવનગરમાં હાઉસિંગ બૉર્ડનું ત્રણ માળનું મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બૉર્ડનું આ મકાન ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશાયી થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોડી રાત્રે અગ્નિશમન દળના કર્મચારીઓ સાડા ત્રણ કલાકની જહેમત બાદ કાટમાળમાં ફસાયેલા છ જેટલા લોકોને બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર સહિત પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.