ઓગસ્ટ 27, 2025 9:36 એ એમ (AM)

printer

ભારે વરસાદના પગલે સાબરમતી નદીનું જળસ્તર વધતાં ખેડાના ત્રણને એફલિફ્ટ કરી અને ધોળકાના બે લોકોને N.D.R.F. દ્વારા બચાવાયાં

ખેડા જિલ્લા વહીવટી તંત્રએ સાબરમતી નદીના પ્રવાહમાં ફસાયેલી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધી છે. ખેડા તાલુકાના કોદરીયાપુરા નજીક સાબરમતી નદીમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ હોવાની જાણ ગામના સરપંચે કરતાં તંત્ર દ્વારા આ બચાવ કામગીરી કરવામાં આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે યાંત્રિક બોટ દ્વારા પાણીના ઝડપી પ્રવાહમાં જવાનું મુશ્કેલ બનતા જિલ્લા વહીવટી તંત્રએ ફસાયેલા લોકોને એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડ્યાં હતા. આ ઉપરાંત ધોળકા તાલુકાના સરોડા ગામના બે વ્યક્તિઓનું પણ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યુ હતું.. સાબરમતી નદીમં જળસ્તર વધતાં ખેતી કામ માટે ગયેલા બે વ્યક્તિઓ ફસાયા હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.