ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે : વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે. આયર્લેન્ડની યુનિવર્સિટી કોલેજ ડબલિન ખાતે ડૉ. જયશંકરે ભારતીય અર્થતંત્રના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન સંઘ લગભગ 23 વર્ષથી મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. શ્રી જયશંકરે આશા વ્યક્ત કરી કે આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને આ દાયકાના અંત સુધીમાં તે ચોક્કસપણે ત્રીજા સ્થાને પહોંચી જશે. તેમણે કહ્યું કે ભારત અને આયર્લેન્ડ વચ્ચે વેપારનું સ્તર ખૂબ જ મજબૂત છે.