રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે,ભારત મેડિકલ ટુરિઝમના સસ્તા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને આ પ્રગતિમાં ડોકટરો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આજે આંધ્રપ્રદેશમાં AIIMS મંગલાગિરીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યાં હતાં. રાષ્ટ્રપતિ મુર્મુએ માનવતાની સેવા કરવાના માર્ગ તરીકે તબીબી વ્યવસાયની પ્રશંસા કરી. તેમણે ડોકટરોને સેવા,સતત ભણતર અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી.
આ પ્રસંગે મુખ્યમંત્રી એનચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહ્યા હતા.