પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી મોદીએ ભાર મૂક્યો હતો કે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.ભારતને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે ડૉ. સ્વામિનાથનના નેતૃત્વ હેઠળના આંદોલનનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત દૂધ, કઠોળ અને શણનો વિશ્વનો નંબર એક ઉત્પાદક દેશ છે. તેમણે આબોહવા-સ્થિતિસ્થાપક પાકોની વધુને વધુ જાતો વિકસાવવા અને ગરમી-પ્રતિરોધક પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Site Admin | ઓગસ્ટ 8, 2025 9:58 એ એમ (AM)
ભારત તેના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં-PM
