સરકારે કહ્યું, તેમણે ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું, “ભારત અને ચીન ગયા વર્ષે 21ઑક્ટોબરે ડેસ્પાંગ અને ડેમચોકમાં ભારત-ચીન સરહતી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલીંગ વ્યવસ્થા મામલે એક સમજૂતી પર પહોંચ્યા હતા.” શ્રી સિંહે ઉમેર્યું, “આ સમજૂતીથી તણાવવાળા કેન્દ્રો પરથી સૈનિકો પરત આવ્યા છે. આ સમજૂતીનું પાલન પરસ્પર સંમતિ મુજબ પદ્ધતિઓ અને સમયરેખા મુજબ કરવામાં આવે છે.”
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:40 પી એમ(PM) | કીર્તિવર્ધન સિંહે | સરહદ
ભારત-ચીન સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી અને સૈન્ય બંને માધ્યમનો ઉપયોગ કર્યો
