મોરક્કોના રબાત ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને મોરક્કોના સંરક્ષણ મંત્રા અબ્દુલ લતિફ લૌદીઈ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. દરમિયાન સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા. શ્રી સિંઘે કહ્યું, બંને પક્ષ આતંકવાદ વિરોધી, દરિયાઈ સલામતી, સાયબર સુરક્ષા, શાન્તિ,સૈન્ય આરોગ્ય, તાલીમ અને ઉદ્યોગ ભાગીદારીમાં સહકારને પ્રોત્સાહન આપવા એક વ્યાપક વ્યૂહરચના અંગે સંમત થયા છે. ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી મોરક્કોના બે દિવસના પ્રવાસે છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2025 7:20 પી એમ(PM)
ભારત અને મોરક્કો વચ્ચે સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા.