ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદનું 80 વર્ષ જૂનું માળખું આજની વૈશ્વિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત નથી.તેઓ ગઈકાલે વોશિંગ્ટનમાં સુરક્ષા પરિષદ સુધારાઓ પર આંતર-સરકારી વાટાઘાટો હેઠળ કાર્યકારી પદ્ધતિઓ પરની ક્લસ્ટર ચર્ચામાં બોલી રહ્યા હતા. તેમણે
વધુમાં કહ્યું, આજના સમય સાથે સુસંગત રહેવા અને વિશ્વભરના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે, કાઉન્સિલમાં સુધારો અને તેના હેતુને અનુરૂપ થવું જોઈએ.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 2:16 પી એમ(PM)
ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારાની હાકલ કરી છે
