ભારતે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ભારતે વેનેઝુએલાના લોકોની સુખાકારી અને સલામતી માટે પોતાના સમર્થનની પુષ્ટિ કરી છે. કારાકાસમાં ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયના સભ્યો સાથે સંપર્કમાં છે અને તમામ શક્ય સહાય પૂરી પાડતું રહેશે.
દરમિયાન, મંત્રાલયે એક માર્ગદર્શિકા જાહેર કરીને ભારતીય નાગરિકોને તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને વેનેઝુએલાની બધી બિન-આવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 7:47 પી એમ(PM)
ભારતે વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને વેનેઝુએલાના લોકોની સલામતી માટે સમર્થનની પુષ્ટિ કરી.