ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં બ્રિટનના લોકો સાથે ઉભું છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર થયેલા આ જઘન્ય કૃત્ય પર પણ શોક વ્યક્ત કર્યો હતો.ગઇકાલે બ્રિટનના માન્ચેસ્ટરમાં હીટન પાર્કની બહાર થયેલા હુમલામાં બેના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.
Site Admin | ઓક્ટોબર 3, 2025 10:13 એ એમ (AM)
ભારતે બ્રિટનના માન્ચેસ્ટરમાં યહૂદીઓની ધાર્મિક વિધિ યોમ કિપ્પુર પ્રાર્થના દરમિયાન થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી
