પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરમાં ‘ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો આરંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાજભવનથી આ યાત્રા શરૂ થઈ, ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો માર્ગો પર ઉમટી પડ્યા હતા અને ત્રિરંગો લહેરાવીને તેમના માર્ગ પર પુષ્પવર્ષા કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલની સાથે, શ્રી મોદીએ ઉત્સાહિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.. દેશભક્તિના સૂત્રો અને ગીતોના કારણે ગાંધીનગર શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. રાષ્ટ્રવાદી ઉત્સાહથી ભરપૂર આ યાત્રા મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.
Site Admin | મે 27, 2025 2:37 પી એમ(PM)
ભારતીય સૈન્યના સાહસ અને પરાક્રમને બિરદાવતી ‘ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી આરંભ કરાવ્યો.
