ડિસેમ્બર 29, 2025 10:24 એ એમ (AM) | indiarail | rail | railfecility | Train | vandhebharatsleepar

printer

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લીપર ટ્રેન ચલાવશે

રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રિત પ્રયાસો, નવીનતા અને સ્વદેશીકરણ ભારતીય રેલ્વેને વિશ્વ કક્ષાના નેટવર્કમાં પરિવર્તિત કરી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે અમૃત ભારત ટ્રેનો દ્વારા નોન-એસી મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કર્યા પછી, ભારતીય રેલ્વે ટૂંક સમયમાં પ્રથમ વંદે ભારત એસી સ્લીપર ટ્રેન ચલાવશે. મંત્રાલયે જણાવ્યું કે આ મહિનાની 26મી તારીખ સુધીમાં કુલ 164 વંદે ભારત ટ્રેનો કાર્યરત હતી.
મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25,000 કરોડ રૂ. થી વધુના ખર્ચે 42 રેલ્વે પ્રોજેક્ટ્સ સમર્પિત કર્યા, 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને 21 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો.
મંત્રાલયે જણાવ્યું કે ઈ-ટિકિટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરનારાઓને ઓળખવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે