ભારતીય રેલવેએ સ્વિટ્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને દૂરસંદેશાવ્યવહાર વિભાગ સાથે ટેકનિકલ સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ કાર્યક્રમને સંબોધતા, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે એમઓયુ ભારતીય રેલ્વે સાથે ટેક્નોલોજી વહેંચણી, ટ્રેકની જાળવણી, વ્યવસ્થાપન અને બાંધકામ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેનું વ્યાપક માળખું પ્રદાન કરશે. તેમણે જણાવ્યું આ એમઓયુ ભારતીય રેલ્વેને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:49 પી એમ(PM)
ભારતીય રેલવેએ સ્વિટ્ઝર્લેન્ડના પર્યાવરણ, પરિવહન અને દૂરસંદેશાવ્યવહાર વિભાગ સાથે ટેકનિકલ સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
