ભારતીય રેલવેએ તહેવારોના સમયગાળા દરમ્યાન અત્યાર સુધીમાં વિવિધ સ્થળો માટે વિશેષ ટ્રેનો ચલાવી 54 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડ્યા.દરમ્યાન હજુ પણ પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ફેસ્ટિવલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તેરપ્રદેશ અને બિહાર જવા માટેની ટ્રેનોનો સમાવેશ થાયછે. પશ્ચિમ રેલવે દ્વારા આજે 22 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી જ્યારે આવતીકાલે વધુ 15 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોના સમયગાળામાં ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉડીસા સહિત અનેક સ્થળો માટે 340 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ તમામ વિશેષ ટ્રેનો નિયમતી ચાલતી ટ્રેનો ઉપરાંત ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત આ નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવી રહ્યા છે.
Site Admin | નવેમ્બર 4, 2024 7:11 પી એમ(PM)
ભારતીય રેલવેએ તહેવારોના સમયગાળા દરમ્યાન અત્યાર સુધીમાં વિવિધ સ્થળો માટે વિશેષ ટ્રેનો ચલાવી 54 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડ્યા
