ઓક્ટોબર 15, 2024 6:26 પી એમ(PM)

printer

ભારતીય મૂળનાં લોકો વૈવિધ્યતા અને સર્વસમાવેશિતા જેવી લાક્ષણિકતા ધરાવે છે :લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે, ભારતીય મૂળનાં લોકો વૈવિધ્યતા અને સર્વસમાવેશિતા જેવી લાક્ષણિકતા ધરાવે છે. ગઇ કાલે જીનિવામાં 149નાં આંતરરાષ્ટ્રીય સંસદીય સંઘમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શ્રી બિરલાએ ભારતીય મૂળનાં લોકોનાં કૌશલ્ય,પ્રતિભા અને પ્રતિબધ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં ભારતની નેતાગીરી પર પ્રકાશ પાડ્યો હતો. ભારત-સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્વીકારતા શ્રી બિરલાએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક સહકારની યાદ અપાવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.