ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2024 7:44 પી એમ(PM) | પાર્કિન્સન રોગ

printer

ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એકનવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું

ભારતીય તબીબી વૈજ્ઞાનિકોએ પાર્કિન્સન રોગના નિવારણ માટે દવાના પ્રમાણને નિર્ધારિત કરવા હેતુથી એક નવું સ્માર્ટ સેન્સર વિકસાવ્યું છે. તે  સ્માર્ટફોન આધારિત ફ્લોરસેન્સ ટર્ન-ઓન સિસ્ટમ છે, જે સસ્તું અને વપરાશકર્તા માટે અનૂકળ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સેન્સર શરીરમાં એલ-ડોપાનું પ્રમાણ સમજવામાં મદદરૂપ બનશે, જે દ્વારા રોગના અસરકારક નિયંત્રણ માટે જરૂરી માત્રા નક્કી કરવામાં મદદ મળશે. એલ-ડોપા એ એક રસાયણ છે જે માનવ શરીરમાં ડોપામાઇનમાં રૂપાંતરિત થાય છે અને પાર્કિન્સન વિરોધી દવા તરીકે કામ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ