જૂન 25, 2025 7:43 પી એમ(PM)

printer

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિઓમ-ચાર મિશન હેઠળ અવકાશમાં જવા રવાના થયા

દેશ માટે એક ઐતિહાસિક ક્ષણમાં, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે એક્સિઓમ-૪ મિશન પર અવકાશમાં રવાના થયા. રાકેશ શર્મા પછી શુક્લા ચાર દાયકાથી વધુ સમયમાં અવકાશમાં રહેનારા પ્રથમ ભારતીય બનશે. આ મિશન આજે ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૦૧ વાગ્યે યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું છે કે, એક્સિઓમ-૪ આવતીકાલે સાંજે સાડા ચાર વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે ડોક કરશે.
દરમિયાન, ગ્રુપ કેપ્ટન શુક્લાએ અવકાશમાંથી સંદેશ મોકલ્યો છે કે આ એક અદ્ભુત સવારી છે. તેમણે ઉમેર્યું કે તેઓ 41 વર્ષ પછી ફરી એકવાર અવકાશમાં પાછા ફર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ યાત્રા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની શરૂઆત નથી પરંતુ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. તેમણે ઉમેર્યું કે તેમના ખભા પરનો તિરંગા તેમને કહે છે કે તેઓ બધા ભારતીયો સાથે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.