ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ચાલક દળના સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અનડોકિંગ આજે ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સુનિશ્ચિત થયુ છે.
તેમણે કહ્યું કે, ચાલક દળ આવતીકાલે ભારતીય સમયા પ્રમાણે બપોરે ૩ વાગ્યે પૃથ્વી પર પરત આવશે. ઉતરાણ પછી, ગ્રુપ કેપ્ટન શુક્લા, ચાલક દળના સભ્યો સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં પુન: અનુકૂલન સાધવા માટે ફ્લાઇટ સર્જનોની દેખરેખ હેઠળ ૭ દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે.
Site Admin | જુલાઇ 14, 2025 2:03 પી એમ(PM)
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4ના ચાલક દળના અન્ય ત્રણ સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે.