ભાજપે દિલ્હી સરકાર પર યમુના નદીની સફાઈના નામે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએકહ્યું કે, ‘દિલ્હી સરકારે યમુનાને સાફ કરવાનાનામે આઠ હજાર 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.’ તેમણે દિલ્હી સરકાર પર પ્રદૂષણને રોકવામાં બેદરકારીનો આક્ષેપ લગાવતા કહ્યું કે,‘સરકારે લોકોના હિતમાં કામ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર વધારો છે. છઠ મહાપર્વ પરદિલ્હી સરકારે યમુનાની સફાઈ માટે યોગ્ય પગલાં નથી ઊઠાવ્યા.’
શ્રી સચદેવાએ કહ્યું કે, ‘યમુનામાં ઝેરી ફીણનીસમસ્યા અંગે સરકાર ગંભીર નથી.’
Site Admin | નવેમ્બર 6, 2024 7:49 પી એમ(PM)
ભાજપે દિલ્હી સરકાર પર યમુના નદીની સફાઈના નામે ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કર્યો
