બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા લેવાશે તેવો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. મહેસૂલી કામગીરીની સમીક્ષા માટે ગાંધીનગર ખાતે રાજયના કલેકટરોની કલેકટર કોન્ફરન્સ યોજાઇ હતી.. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી આ બેઠકમાં કુદરતી આપદા સમયે પ્રજાકીય પ્રશ્નો અને સમસ્યાઓનો ઝડપથી જરુરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
મહેસૂલ વિભાગ અને ખાતાના વડાની કચેરીઓના હાઇકોર્ટમાં પડતર ઓગણત્રીસ હજારથી વધુ કેસો મળીને કુલ સાડત્રીસ હજાર જેટલા કેસોનો ઝડપી નિકાલ માટે એકશન પ્લાન બનાવવાનું પણ બેઠકમાં ઠરાવાયું હતું.
Site Admin | જુલાઇ 26, 2025 10:50 એ એમ (AM)
બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડક પગલાં લેવાશે