ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 7, 2025 1:35 પી એમ(PM)

printer

બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે બ્રિકસ શિખર સંમેલનમાં નેતાઓએ પહેલગામ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી

બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા બ્રિકસ શિખર સંમેલનમાં નેતાઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે.
બ્રિકસ નેતાઓએ આતંકવાદીઓની સરહદ પારની અવરજવર, આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને સુરક્ષિત આશ્રયસ્થાનો સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા માટે તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. તેણે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવા અને આતંકવાદનો સામનો કરવા માટે બેવડા ધોરણોને નકારી કાઢવા વિનંતી કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદના પીડિતો અને સમર્થકોને એક જ ત્રાજવે ન તોલી શકાય. શાંતિ અને સલામતી અંગેનાં સત્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, આજે ત્રાસવાદ માનવતા સામેનો સૌથી મોટો પડકાર બની ગયો છે.
પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સનાં સભ્યો સાથે ‘બહુપક્ષીયતા, આર્થિક-નાણાકીય બાબતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મજબૂત કરવા’ વિષય પર આયોજિત આઉટરીચ સત્રમાં ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.