બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની 154મી જન્મજયંતિ નિમીત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લા માહિતી વિભાગ અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.. આ કાર્યક્રમમાં સાહિત્ય, કલા અને કવિતા પ્રેમી સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કવિ વિનોદ જોશીએ “સર્જક સાથે સંવાદ” વિષય પર ચર્ચા કરી હતી.
Site Admin | નવેમ્બર 27, 2024 7:05 પી એમ(PM) | સર્જક સાથે સંવાદ
બોટાદમાં કવિ દામોદરદાસ બોટાદકરની 154મી જન્મજયંતિ નિમીત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો
