ઓગસ્ટ 7, 2024 8:01 પી એમ(PM)

printer

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે

બેંગલુરુ સ્થિત સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કલ્યાણ ફાઉન્ડેશનના સહયોગથી 10 ઓગસ્ટે બનાસકાંઠાના પાલનપુર ખાતે કૃષિ સંવર્ધન પ્રોજેક્ટનો પ્રારંભ કરશે.
આ કાર્યક્રમમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, કાપડ મંત્રાલય, ખાનગી ભાગીદારો, કલ્યાણ ફાઉન્ડેશન અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપરાંત એરંડાનું ઉત્પાદન કરતા ખેડૂતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનો હેતુ જ્ઞાનની વહેંચણી, ઉપલબ્ધ સંશાધનોના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો ખેડૂતોને રેશમનાં ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવાનો તથા રેશમ ઉદ્યોગના વિકાસ પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.