ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 12, 2024 3:47 પી એમ(PM) | બિહાર

printer

બિહારના જહાનાબાદમાં મંદિરમાં થયેલી નાસભાગમાં સાતના મોત, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી

બિહારના જહાનાબાદ જિલ્લાના બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં આજે સવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા સાત શ્રદ્ધાળુઓના મોત અને 16 ઇજાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
જહાનાબાદના પોલીસ અધિક્ષક અરવિંદ પ્રતાપસિંહે જણાવ્યું છે કે સ્થાનિક વિક્રેતાઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે કેટલાક મુદ્દા પર વિવાદને પગલે સવારે નાસભાગ મચી ગઈ હતી. શ્રી સિંહે કહ્યું કે ઘાયલોને જહાનાબાદ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.