બાંગ્લાદેશી અધિકારીઓએ તાજેતરમાં મોંગલા નજીક 34 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે તેમના જળ વિસ્તારમાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી.વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઘટનાની માહિતી મળતાં જ, બાંગ્લાદેશમાં ભારતીય ઉચ્ચાયોગે બાંગ્લાદેશી અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો અને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસની માંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ માછીમારો અને તેમની બોટ સુરક્ષિત અને વહેલા પરત આવે તે સુનિશ્ચિત કરવા માટે આ મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Site Admin | જુલાઇ 19, 2025 8:43 એ એમ (AM)
બાંગ્લાદેશી અધિકારીઓએ 34 ભારતીય માછીમારોની તેમની બોટ સાથે માછીમારી કરવા બદલ ધરપકડ કરી