મે 11, 2025 9:38 એ એમ (AM)

printer

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પક્ષ અને તેના નેતાઓ સામેની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ નિર્ણય ગઈકાલે રાત્રે ઢાકામાં એક ખાસ બેઠકમાં વચગાળાની સરકારની સલાહકાર પરિષદે લીધો હતો.કાઉન્સિલે આંતરરાષ્ટ્રીય ગુનાહિત કાયદામાં સુધારાને પણ મંજૂરી આપી, જેમાં કોઈપણ રાજકીય પક્ષ, તેના સંલગ્ન સંસ્થાઓ અથવા માનવતા વિરુદ્ધ ગુના કરનારા સમર્થકોને સજા કરવાની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે. આ સંદર્ભે જરૂરી પરિપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. બેઠકમાં આગામી
30 દિવસમાં જુલાઈ ઘોષણાને અંતિમ સ્વરૂપ આપવા અને પ્રકાશિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.