ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 17, 2024 2:32 પી એમ(PM)

printer

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને બંગ ભવનમાં ગઈકાલે વચગાળાની સરકારના વધુ ચાર સલાહકારને શપથગ્રહણ કરાવ્યા હતા. આ સલાહકારોમાં અર્થશાસ્ત્રી વાહિદુદ્દીન મહમુદ, પૂર્વ સચિવ મોહમ્મદ ફઝુલ કબીર ખાન, પૂર્વ કેબિનેટ સચીવ અલી ઈમામ મજૂમદાર અને બાંગ્લાદેશ રાઈફળ્સના પૂર્વ મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આલમ ચૌધરી સામેલ છે.
આ પ્રસંગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રૉફેસર મોહમ્મદ યુનુસ અને અન્ય સલાહકારો તેમ જ ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પ્રૉફેસર યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારમાં હવે સલાહકાર પરિષદના સભ્યોની સંખ્યા 21 થઈ છે.