બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ટોળાની હિંસા અને ઉગ્રવાદ વ્યાપક છે.
ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન આપેલા ઓડિયો સંદેશમાં શેખ હસીનાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હાલમાં તેના ઇતિહાસના સૌથી ખતરનાક સમયનો સામનો કરી રહ્યું છે. તેમણે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ દ્વારા લોકશાહીની પુનઃસ્થાપના, હિંસા અને અરાજકતાનો અંત લાવવા અને જાહેર સેવાઓના સુગમ સંચાલન માટે હાકલ કરી હતી.
તેમણે ધાર્મિક લઘુમતીઓ, મહિલાઓ અને સમાજના નબળા વર્ગોની સલામતી સુનિશ્ચિત કરવા અને વિરોધી પક્ષોને ધમકાવવા અને ડરાવવાનો અંત લાવવા હાકલ કરી હતી. તેમણે ગયા વર્ષની ઘટનાઓની નિષ્પક્ષ તપાસ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રને પણ વિનંતી કરી હતી. તેમણે લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે બાંગ્લાદેશના નાગરિકોને જાહેર સમર્થન માટે અપીલ કરી હતી.
Site Admin | જાન્યુઆરી 24, 2026 7:51 એ એમ (AM)
બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાએ જણાવ્યું છે કે બાંગ્લાદેશ અરાજકતા, અસુરક્ષા અને લઘુમતીઓ પરના અત્યાચારનો સામનો કરી રહ્યું.