ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 6:59 પી એમ(PM) | બનાસકાંઠા

printer

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો

આજે 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીને હરીયાળું બનાવવા ‘ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેક્ટ’ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી 10 હજારથી વધુ રોપા તૈયાર કરાયા છે. વન વિભાગના આ અભિયાને પર્યાવરણ સંરક્ષણની સાથે સ્થાનિક સ્તરે રોજગારીના અવસર પણ સર્જયા છે. આ અંગે ત્યાંના સ્થાનિક દિલીપ કોદરવીએ વધુ માહિતી આપી
વિશ્વ વન દિવસની આ વર્ષની થીમ છે. વન અને ખોરાક.. આ વિશે ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક ડી.એન.રબારીએ વધુ માહિતી આપી.
સુરત જિલ્લાના ઓલપાડના નઘોઈ ગામમાં મિયાવાકી પદ્ધતિથી 1.50 હેકટરમાં વનકવચનું નિર્માણ કરાયું છે, આ કાર્યમાં મહિલા વનરક્ષક હેતલબેન જાલંધરાએ મહત્વનું યોગદાન આપી ખારાપાટ ધરાવતી ગાંડા બાવળથી ભરેલી જમીન પર 58 જાતિના 15 હજાર વૃક્ષો ઉછેર્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ