બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદથી જનજીવનને અસર થઈ છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગરમાં માધ્યમોને માહિતી આપતા કહ્યું, રાહત અને બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાની સ્થિતિની સમીક્ષા કરવા ગઈકાલથી જિલ્લાની મુલાકાતે છે.
કચ્છના રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું, તેઓ વરસાદને લઈ ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરવે કરવા સરકારને રજૂઆત કરશે.