એપ્રિલ 1, 2025 7:03 પી એમ(PM)

printer

બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 એ પહોંચ્યો; બેની ધરપકડ

બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 એ પહોંચ્યો છે. ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યકત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી.
ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ફેક્ટરીમાં લાયસન્સ વિના ફટાકડા સ્ટોરેજ કરવામાં આવ્યા હતા, જેનું લાયસન્સ પણ રિન્યૂ કરાયું ન હતું. શ્રી પટેલે જણાવ્યું કે ઘટના અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ચિંતા કરવા સરકારને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસાના ગોડાઉનમાં ફટાકડા બનાવવાની કામગીરી દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં 18 શ્રમિકોના મોત થયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.