આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ પ્રકૃતિ અને પૃથ્વીના રક્ષણ માટે સકારાત્મક પર્યાવરણીય પગલાં લેવા માટે વૈશ્વિક જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ ‘પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો છે.રાજ્ય કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી નવા સચિવાલય ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન કરશે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ અંગેના પ્રદર્શનનું ઉદઘાટન થશે. શ્રી પટેલ વિવિધ પર્યાવરણીય તેમજ વન વિભાગના નવીન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ભૂમીપૂજન કરશે.અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિંદૂર વનની સ્થાપના કરાશે. આ સિંદૂર વનમાં કૂલ 551 સિંદૂરના બાળવૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી દ્વારા 11 વૃક્ષરથનું પ્રસ્થાન કરાવાશે.અમદાવાદમાં હોમગાર્ડઝના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના ૭૦૦ થી વધુ સ્વયં સેવકો સાબરમતી સ્વચ્છ મહાઅભિયાનમાં જોડાશે.સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ખાતે વન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં અરવલ્લી હરિત દીવાલ પરિયોજનાનો શુભારંભ કરાશે. તેમજ ખેડબ્રહ્મા તાલીમ કેન્દ્ર ખાતે માતૃવન-વનકવચ-મિયાવાકી જંગલનો શુભારંભ કરાશે
Site Admin | જૂન 5, 2025 9:51 એ એમ (AM)
પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવોની થીમ સાથે આજે રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
