વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે કે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલનું નવનિર્માણ કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
ગઈકાલે શ્રી બેરાએ હોસ્પિટલની મુલાકાત લઇને ઉભી કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. શ્રી બેરાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવનિર્માણ માટે બજેટમાં જરૂરી રકમની ફાળવણી કરવામાં આવી છે.
74 એકર વિસ્તારમાં ફેલાયેલી જી.જી.હોસ્પિટલ તથા શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે 15 જેટલા હોસ્પિટલ બિલ્ડીંગ, 70 સ્ટાફ ક્વાર્ટર, નર્સિંગ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગ સહિતની સુવિધાઓ નિર્માણ પામશે.
Site Admin | માર્ચ 17, 2025 7:20 એ એમ (AM)
પ્રવાસન મંત્રી મુળુ બેરાએ સુરેન્ર્નનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાનાં ખર્ચે બનનારા પુલનું ખાતમુર્હુત કર્યું
