ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 9, 2024 6:22 પી એમ(PM) | ભાજપ | શિવરાજ સિંહ ચૌહાણ

printer

પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે: શિવરાજ સિંહ ચૌહાણ

ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે. શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડની પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીની જમશેદપુરની મુલાકાત દરમિયાન તેઓ , વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી ફરકાવશે. આ  ઉપરાંત, શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.