જુલાઇ 11, 2024 11:26 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે સંવાદ કરશે. શ્રી મોદી આગામી કેન્દ્રીય બજેટ પર પોતાના વિચાર અને સૂચનો રજૂ કરશે. બેઠકમાં અર્થસાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી સહિતના અન્ય સભ્યો ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આગામી 22 જુલાઈથી સંસદનુ બજેટ સત્ર રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.