ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

25મી જૂન 1975 ના દિવસે કોંગ્રેસની સરકાર દ્વારા દેશભરમાં કટોકટી લગાવવાનો નિર્ણય કરાયો હતો.21 મહિના ચાલેલી આ કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય નેતાને જેલવાસ ભોગવવો પડ્યો હતો.આ એકવીસ મહિનાનો સમયગાળો યાતનામય રહ્યો હતો.કટોકટીના કાળને આજે 50 વર્ષ વીત્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયગાળાને કંલકિત ગણાવ્યો હતો.શ્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ એ યાદ અપાવે છે કે કઈ રીતે કોંગ્રેસે દેશના સ્વાભિમાન સમાન બંધારણને કચડી લોકોની મૂળભૂત આઝાદી છીનવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.