પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર એ માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુ ભારતના લોકોના મૂલ્યો અને ભાવનાઓની અભિવ્યક્તિ છે. તેમણે ગુજરાતના દાહોદમાં એક જાહેર સભાને સંબોધતા આ વાત કહી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્તમાન સમયની માંગ એ છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જરૂરી દરેક વસ્તુનું ઉત્પાદન દેશમાં જ થવું જોઈએ.
શ્રી મોદીએ કહ્યું કે વર્ષ 2014 માં આ દિવસે તેમણે પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. પહેલા ગુજરાતના લોકોએ અને પછી કરોડો ભારતીયોએ મને આશીર્વાદ આપ્યા.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે છેલ્લા ૧૧ વર્ષ દરમિયાન રેલવે ક્ષેત્રમાં પરિવર્તનશીલ સુધારાઓ માટે મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, દાહોદમાં તૈયાર થનાર ‘મેડ ઇન દાહોદ’ ઇલેક્ટ્રિક લોકોમોટિવની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ 24 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત, શ્રી મોદીએ રેલ્વે અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત ગુજરાત સરકારના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું. આમાં – વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ શ્રી મોદીએ વડોદરમાં ભવ્ય રોડ શો યોજી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.