સપ્ટેમ્બર 27, 2025 8:42 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. આ પ્રસંગે શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રી આશરે 11 હજાર કરોડના રોકાણ સાથે તિરુપતિ, પલક્કડ, ભિલાઈ, જમ્મુ, ધારવાડ, જોધપુર, પટના અને ઇન્દોરમાં આઠ ભારતીય ટેકનોલોજી સંસ્થાઓના વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રી બહેરામપુરમાં એમ.કે.સી.જી. મેડિકલ કોલેજ અને સંબલપુરમાં વી.આઈ.એમ.એસ.એ.આર.ને વિશ્વ કક્ષાની સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ કરશે. વધુમાં, શ્રી મોદી અંત્યોદય આવાસ યોજના હેઠળ 50 હજાર લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરશે. આ યોજના અપંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા મહિલાઓ, ગંભીર બીમારીઓથી પીડાતા લોકો અને કુદરતી આફતોના ભોગ બનેલા લોકો સહિત સંવેદનશીલ ગ્રામીણ પરિવારોને કાયમી ઘરો અને નાણાકીય સહાય પૂરી પાડે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.