પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે.
આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કોઈ મહિલા રોજગાર મેળવે છે ત્યારે તે તેના સપનાઓને નવી પાંખો આપે છે.
શ્રી મોદીએ કેન્દ્ર સરકારની મુદ્રા યોજના, ડ્રોન દીદી અભિયાન, વીમા સખી અભિયાન અને બેંક દીદી અભિયાન દેશભરની મહિલાઓ માટે રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરી રહી છે તેના પર ભાર મૂક્યો.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 2:10 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો.