ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.
આ પહેલ ચાલી રહેલા જળશક્તિ અભિયાન સાથે સંલગ્ન છે વરસાદના એકએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે.નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીને વરસાદી પાણીના સંગ્રહને અભિયાન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ, સમગ્ર ગુજરાતમાં અંદાજે 24 હજાર 800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનુ સામૂહિક ભાગીદારી સાથે નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ ભૂગર્ભ જળ સંચય લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. આ અભિયાન હેઠળ બાંધવામાં આવેલ માળખા વરસાદી પાણીના સંગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવશે.