ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં ‘જળ સંચય જન ભાગીદારી’ પહેલની શરૂઆત કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં ‘જળ સંચય જન ભાગીદારી’ પહેલની શરૂઆત કરાવશે.. તેઓ આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધશે..રાજ્ય સરકારની આગેવાની હેઠળની જળ સંચય અભિયાનની સફળતાના આધારે, જલ શક્તિ
મંત્રાલય અને રાજ્ય સરકારના સહયોગથી આ અભિયાન શરૂ થઇ રહ્યું છે.
રાજ્ય સરકારે પાણી સુરક્ષિત ભાવિ સુનિશ્ચિત કરવા માટે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્યની સહભાગીદારી સાથે આ અભિયાન શરૂ કર્યુ છે.