પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ પર એકસાથે બે ધોરણ અસ્વીકાર્ય છે. ચીનના તિયાનજિન ખાતે શાંઘાઈ સહકાર સંગઠન-SCO સંમેલનમાં નિવેદન આપતા, શ્રી મોદીએ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત સાથે એકતા દર્શાવનારા દેશોનો આભાર માન્યો.
પ્રધાનમંત્રીએ SCO સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે પણ દ્રષ્ટિકોણનું આદાન-પ્રદાન કર્યું.