પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભર ભારતમાં રહેલો છે.અમદાવાદમાં ગઈકાલે એક સંસ્થાના કાર્યક્રમને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, હાલ સમગ્ર વિશ્વ અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયે ભારત પાસે ખરેખર આત્મનિર્ભરતા હાંસલ કરવાની તક છે.તેમણે યુવાનો, ખાસ કરીને બાળકોની મદદથી આવનારી પેઢીનું ભવિષ્ય સલામત કરવા ભારતમાં બનેલી ચીજવસ્તુઓ જ ખરીદવા આહ્વાન કર્યું છે.આ પ્રસંગે વર્ચ્ચૂઅલ માધ્યમથી ઉપસ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી કાર્યકાળમાં ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો અને આજે પ્રધાનમંત્રી તરીકે તેઓ ગુજરાતને વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે પરિવર્તિત કરી રહ્યા છે.
Site Admin | ઓગસ્ટ 25, 2025 9:37 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અને તેનો ઉપયોગ કરવા અપીલ કરી
