પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે અમદાવાદમાં રૂ. ૫ હજાર ૪૦૦ કરોડના વિકાસકામોનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
ગુજરાત મુલાકાતના બીજા દિવસે, પ્રધાનમંત્રી હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ૧૦૦ દેશોમાં નિકાસ કરવા માટે બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોના એક કન્સાઇન્મેન્ટને પણ લીલી ઝંડી આપશે.
રાજ્યની તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી રૂ. ૧ હજાર ૪૦૦ કરોડના રેલ્વે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે.
Site Admin | ઓગસ્ટ 24, 2025 7:44 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે
