ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 9:17 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરવાના છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા અઠવાડિયે રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથેની બેઠક બાદ આ સંદર્ભમાં જાહેરાત કરી હતી.કેન્દ્રીય મંત્રીમંડળે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે આ મિશનને મંજૂરી આપી હતી. 15માં નાણા પંચ સુધી આ યોજના માટેનો ખર્ચ બે હજાર 481 કરોડ રૂપિયા છે, જેમાં કેન્દ્રનો હિસ્સો એક હજાર 584 કરોડ રૂપિયા અને રાજ્યોનો આઠ હજાર 97 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનનો ઉદ્દેશ્ય માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો અને ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવાનો અને ખેડૂતોને વધુ આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવા માટે ખર્ચ ઘટાડવાનો છે.NMNF ટકાઉપણું, આબોહવા સ્થિતિસ્થાપકતા અને સલામત ખોરાક તરફ વૈજ્ઞાનિક રીતે સમર્થિત અભિગમો સાથે કૃષિ પદ્ધતિઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.