ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 22, 2025 7:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટે રાજ્યને 1400 કરોડથી વધુની રેલવે પરિયોજનાની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આગામી 25 મી ઓગસ્ટે રાજયને ચૌદસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામા કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

આ રેલ પ્રોજેકટમાં ₹537 કરોડના ખર્ચે 65 કિલોમીટર મહેસાણા-પાલનપુર રેલવે લાઇનની ડબલિંગ પરિયોજના, ₹347 કરોડના ખર્ચે કલોલ-કડી-કટોસણ રોડ રેલવે લાઇનનું અને ₹520 કરોડના ખર્ચે બેચરાજી-રણુંજ રેલવે લાઇનના ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી ઉત્તર ગુજરાતના જીલ્લાઓને બ્રૉડગેજ લાઇન મળતા દૈનિક પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે. આ ઉપરાંત, શ્રી મોદી કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડી સેવાનું પણ ઉદ્ઘાટન કરશે. કટોસણ-સાબરમતી રોડ નવી ટ્રેન સેવાના કારણે પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા મળશે, તો બેચરાજીથી શરૂ થતી કાર-લોડેડ માલગાડી ટ્રેન રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને મજબૂત કનેક્ટિવિટી પ્રદાન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.