પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં જીવનશૈલીમાં સરળતા લાવવા, વ્યવસાય કરવામાં સરળતા લાવવા અને સમાવેશી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેના પગલાંને વેગ આપવાના હેતુથી આગામી પેઢીના સુધારાઓ માટેના કાર્યયોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.અધિકારીઓએ પ્રધાનમંત્રીને શાસનને સરળ બનાવવા, આર્થિક વિકાસને વેગ આપવા અને નાગરિકોને આ પગલાંનો સીધો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે આયોજિત પગલાંઓ વિશે માહિતી આપી હતી.બેઠક પછી, પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે સરકાર જીવનશૈલીમાં, વ્યવસાય કરવામાં સરળતા લાવવા અને સમાવેશી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુથી તમામ ક્ષેત્રોમાં સુધારાઓ ઝડપથી અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે.ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, માળખાગત સુવિધાઓ સુધારવા અને વહીવટને મજબૂત બનાવવા માટે રણનીતિ તૈયાર કરવાનો હતો.
Site Admin | ઓગસ્ટ 19, 2025 9:27 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના સુધારા માટેની કાર્યયોજનાની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
