પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે દેશની પ્રગતિનો આધાર ખેડૂતોની શક્તિ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે આજે ભારત દૂધ, કઠોળ અને શણનો વિશ્વનો નંબર એક ઉત્પાદક દેશ છે. તેમણે કહ્યું કે, ડૉ. સ્વામિનાથને ભારતને ખાદ્ય ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે ડૉ. સ્વામિનાથનના વિચારો અને અભિગમ આજે પણ ભારતના કૃષિ ક્ષેત્રમાં દેખાય છે. તેમણે આબોહવા-સ્થિતિસ્થાપક પાકોની શક્ય તેટલી વધુ જાતો વિકસાવવા અને ગરમી-પ્રતિરોધક પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Site Admin | ઓગસ્ટ 7, 2025 7:56 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે
