પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે. કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ઇમારત ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓ અને શાસનને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવનારી કેન્દ્રીય સચિવાલયની પ્રથમ ઇમારત છે.પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, કર્તવ્ય ભવન બનાવવાનો હેતુ વિવિધ મંત્રાલયો અને વિભાગોને એકસાથે લાવીને કાર્યક્ષમતા, નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. હાલમાં, વિવિધ મંત્રાલયો અને વિભાગો રાજધાની દિલ્હીના વિવિધ વિસ્તારોમાં સ્થિત છે. કર્તવ્ય ભવન એક આધુનિક કાર્યાલય સંકુલ છે, જે લગભગ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ઇમારત આધુનિક, કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની એક મોટી સિદ્ધિ સાબિત થશે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 7:36 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે
